મોરબી તાલુકાના ઘુંટ રામનગરી સોસાયટીમાં રહેતા અને મજુરી કામ કરતા ડાહીબેન માવજીભાઈ વાળા (ઉ.વ.૬૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રહેણાક મકાનના હોલ (ઓસરી)નો દરવાજાનો નકુચો તોડી રાત્રી દરમ્યાન રૂમમા પ્રવેશ કરી રસોડાના સ્ટોરમાં રાખેલ તીજોરીમાં રહેલ ફરીયાદીના સોના ચાંદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧,૧૯,૪૮૫/-ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






